ગુજરાત: અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે જો તમારી પાસે અભ્યાસ અને સારી ડિગ્રી ન હોય તો તમને કોઈપણ સંસ્થામાં સારા પદ પર નોકરી નહિ મળે. નોકરીઓ માટે ઉમેદવારોએ શિક્ષિત હોવું સૌથી મહત્વપૂર્ણ છે. ત્યાર હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન ખૂબ ચર્ચામાં છે.
અમદાવાદ શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ મોદીએ જણાવ્યું કે ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થી પાસે ડિગ્રી ન હોય પરંતુ કોઈ કૌશલ્ય હોય તો તેને સારી નોકરી મળી શકે છે. યુવાનો માટે શિક્ષણને વધુ સુલભ બનાવવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સફળ થવાનો એક મુખ્ય માર્ગ છે. મોદીએ કહ્યું કે, માત્ર એ જ સમાજ સફળ થશે, જેઓ શિક્ષણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
મોદીએ કહ્યું, “મને ખુશી છે કે વધુ સંખ્યામાં યુવાનો મેડિકલ, એન્જિનિયરિંગ અને આવા અન્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉપરાંત, હું કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂકવા માંગુ છું. ભવિષ્યમાં, જો કોઈ વિદ્યાર્થી પાસે કોઈ ડિગ્રી ન હોય પણ થોડી કુશળતા હોય તો તે પૂરતું હશે. જો કોઈ બાળક વાંચવા માંગતું નથી, તો આપણે તેને કેટલીક કુશળતા શીખવવી જોઈએ.”

