ઉમરપાડા: તાલુકાના ખૌટારામપુરા ખાતે કર્મનિષ્ઠ શિક્ષક નટુભાઇ દુલિયાભાઇ ચૌધરીના વય નિવૃત વિદાય સભારંભમાં સવારથી વરસાદી માહોલ હોવા છતા મોટી સંખ્યામાં લોકો હાજરી આપીને નિવૃત થઇ રહેલા શિક્ષક તેમના દિલ જીતી જીતી લીધું.

દરેક વ્યક્તિ એવું વિચારે છે.કે લોકો મને હંમેશા દિલથી યાદ કરે. જે વ્યક્તિ જયાં હોય ત્યાં તેમનંા સન્માન મળે અને જ્યા વિદાય લઇ રહ્યા છે, ત્યારે ક્યારે એમની બુરાઇ ના કરે, એ વાત સાચી છે, દરેક વ્યક્તિ સારું કરે છે તેની,મીઠી યાદો એની આવે છે. દરે પળે એક્ટિંવ હોય, સારા વ્યવહાર શીખે છે, જેથી દરેક જગ્યાએ સન્માન મળે. માણસ આપની આદતો થી જ સન્માનીત થાય છે. તેવી જ રીતે સૌ ઉમરપાડા અને માંડવી શિક્ષણ શિક્ષક જગત ઉપસ્થિતમાં વધાવી લીધા. વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો, કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઇ લે છે, પરંતુ વ્યક્તિ હમેશા જીવંત રહે છે. તેઓના કાર્ય હંમેશા મહત્વના રહ્યા છે.

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપાધ્યક્ષ એરિક્ભાઇ ખ્રિસ્તી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ સલાહકાર સમિતિના કન્વીનર અનિલ ચૌધરી, ઉમરપાડા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ બિપિનભાઇ ચૌધરી, ગ્રામ પંચાયતના સરપંચ ચંદનબેન વસાવા, ગામના અગ્રણીય વડિલો રામસિંગ દાદા સૌ ઉપસ્થિતિ કાર્યકમ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઇ ચૌધરી અને સમસ્ત સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.