નવસારી: હાલમાં ચુંટણીનું વાતાવરણ ગુજરાતમાં ગરમાયું છે ત્યારે 2022ની વિધાનસભા ચુંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાશે જેમાં ત્રણ પોતાના પક્ષો વિજય અપાવવા રેલીઓ અને સભાઓ યોજી રહ્યા એને લઈને BTP-AAP ગતરોજ નવસારીમાં મસાલ યાત્રા કાઢવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી(BTP) અને આમ આદમી પાર્ટી (AAP) નવસારી દ્વારા ગુજરાતમાં વીજળી ભાવ વધારા વિરૂધ્ધમાં નવસારી આશાપુરા મંદિરથી વિઠલ મંદિર સુધી મશાલ યાત્રા કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

પંકજ પટેલ જણાવે છે વર્તમાન સરકાર સામાન્ય માણસને દરેક વસ્તુમાં ભાવ વધારો કરી લોહી ચૂસી રહી છે ત્યારે હવે સમય બદલાવનો આવી ગયો છે આ સરકારને ઉખાડી ફેકવું પડશે નહિ તો આપણને આ સરકાર જીવવા દે માટે  મશાલ યાત્રા અમે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો પડશે.