ચીખલી-વાંસદા: આજરોજ ચીખલીના ઘોડવણી અને વાંસદાના કેલીયા ગામની પ્રાથમિક શાળાઓમાં ૨૧ મી જૂન નિમિત્તે 8 માં ‘વિશ્વ યોગ દિવસ’ની નિમિત્તે કોવીડ ૧૯ ના નિયમોનું પાલન કરી ડૉ. વિશાલ પટેલની અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી પ્રસંગે આચાર્ય સાહેબશ્રી, સરપંચ શિક્ષક ભાઈ- બહેનો, તેમજ ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓએ વિશાળ સંખ્યામાં ભાગ લઇ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા. “માનવતા માટે યોગ” ના સૂત્રને સાકાર કરતા ‘વસુધૈવ કુટુંબક્મ’ ની ભાવના વિકસાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ શાળાના N.S.S યુનિટના સ્વયંસેવકોએ પણ ઉત્સાહ પૂર્વક કાર્યકમમાં ભાગ લીધો
ડૉ. વિશાલ પટેલ જણાવે છે કે આજના વિશ્વ યોગ દિવસ’ની થીમ “માનવતા માટે યોગ” છે. યોગાસન અને પ્રાણાયામનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. યોગાસન અને પ્રાણાયામને જીવનમાં એક અભિન્ન ભાગ તરીકે દરેક વ્યક્તિએ સ્વીકારવું જોઈએ.

