ચીખલી: દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ. પટેલ.સાર્વજનિક હાઇસ્કૂલ દિગેન્દ્રનગરના વિશાળ પટાંગણમાં ૨૧મી જૂન નિમિત્તે આઠમા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થઈ. જેમાં કોવીડ ૧૯ ના નિયમોનું પાલન કરી શાળાના કર્મનિષ્ઠ આચાર્યશ્રી હર્ષદસિંહ સી.પરમારના માર્ગદર્શન હેઠળ અને વ્યાયામ શિક્ષકશ્રી રાજેશભાઈ એન. આહિરની આગેવાનીમાં સામુહિક યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર આ ઉજવણી પ્રસંગે આચાર્ય સાહેબશ્રી, શિક્ષક ભાઈ- બહેનો, વાલીશ્રીઓએ તેમજ ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓએ વિશાળ સંખ્યામાં ભાગ લઇ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા, આ તકે શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ સી. પરમાર સાહેબે “માનવતા માટે યોગ” ના સૂત્રને સાકાર કરતા ‘વસુધૈવ કુટુંબક્મ’ ની ભાવના વિકસાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ શાળાના N.S.S યુનિટના સ્વયંસેવકોએ પણ ઉત્સાહ પૂર્વક કાર્યકમમાં ભાગ લીધો

શાળાના આચાર્ય સાહેબશ્રીએ ઉદ્બોધનમાં યોગાસન અને પ્રાણાયામના મહત્વ વિશે જણાવતા કહ્યું કે યોગાસન અને પ્રાણાયામને જીવનમાં એક અભિન્ન ભાગ તરીકે દરેક વ્યક્તિએ સ્વીકારવું જોઈએ અંતે શાંતિ પ્રાર્થના સાથે સંકલ્પ પત્રનું વાંચન કરી કાર્યકમને પૂર્ણ જાહેર કરાયો.