અમદાવાદ: બુધવારે મોડી રાતે આસામ પોલીસે પાલનપુરના સરકિટ હાઉસ ખાતેથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી લીધી હતી. ત્યારે મેવાણીને કોઇ એફઆરઆઈ (FIR) આપવામાં આવી ન હતી. હાલમાં એટલું જાણવા મળ્યું છે કે મેવાણી દ્વારા કરાયેલી ટ્વિટ ધરપકડ કરવામાં આવી છે.
આસામના અરૂપકુમાર ડેની ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાંઘાજનક ટ્વિટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતુ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસે’ની પૂજા કરે છે અને પોતાના ભગવાન માન છે. 20મી એપ્રિલના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના હિંમતનગર, ખંભાતમાં થયેલા કોમી રમખાણો માટે લોકોને જાહેરમાં શાંતિ અને એકતા માટેની અપીલ કરવી જોઇએ.
આસામ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન કુમાર બોરાહે કહ્યું, “જિગ્નેશ મેવાણી શરૂઆતથી જ ભાજપના કટ્ટર ટીકાકાર રહ્યા છે. ગુવાહાટીમાં, 12 દિવસમાં 13 હત્યાઓ થઈ છે, જેમાં લોકોને તેમના ઘરની નજીક ગોળી મારવામાં આવી છે અને આસામ પોલીસ તાત્કાલિક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. જોકે તેઓએ ટ્વીટ કરવા બદલ ગુજરાતના એક ધારાસભ્યની તુરંત ધરપકડ કરી લીધી છે. જીગ્નેશ મેવાણીની ષડયંત્ર હેઠળ ધરપકડ કરવામાં આવી છે. “ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જીગ્નેશ મેવાણીનો ત્યાં પ્રભાવ છે અને તે પ્રભાવ યથાવત રહેશે. કોંગ્રેસના કેટલાક વકીલો તેમના માટે કોકરાઝાર ગયા છે. અમે, આસામ કોંગ્રેસ, તેને કોઈપણ રીતે મદદ કરીશું. જિગ્નેશ મેવાણી આ બધી યુક્તિઓ પછી ડરશે નહીં, કોંગ્રેસ પાર્ટી પણ ડરશે નહીં.
જીગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે, ‘હું કાલે પણ લડતો હતો, આજે પણ લડી રહ્યો છું અને આવતીકાલે પણ લડીશ.’











