ચીખલી: છેલ્લા દોઢ બે મહિના પહેલા ડાંગના વઘઇ તાલુકામાં રહેતા બે આશાસ્પદ દિકરા રવિ સુરેશભાઈ જાધવ અને સુનિલ સુરેશભાઈ પવારનું ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ થઇ હતીઅને એના વિરુદ્ધમાં આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યા હતો ત્યારે ગતરોજ કસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ પામેલ દિકરાના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 3-3 લાખની સહાય આપવામાં આવી હતી.

Decision News આદિવાસી સંગઠનોનાં આંદોલનો અને રજૂઆતનાં પગલે ચીખલી પોલીસ મથકનાં જવાબદાર છ પોલીસકર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ગરીબ આદિવાસી યુવકોની અપમૃત્યુની ઘટનામાં રાજય સરકારે મૃતકનાં પરિવાર પ્રત્યે સંવેદના દાખવીને મૃતકોનાં પરિવારજનોને ત્રણ-ત્રણ લાખની સહાય આપી હતી

આ પ્રસંગે બંને યુવકના પરિવારજનોને સંગઠન પ્રભારી સીતાબેન નાયક, ધારાસભ્ય વિજયભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ મંગળભાઇ ગાવિત, મહામંત્રી કિશોરભાઇ ગાવિત સહિત ભાજપી કાર્યકરોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય અને ડાંગ જિલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.