ધરમપુર: ગતરોજ ધરમપુરના નાની વહીયાળના ડુંગર પર દેશી હાથ બનાવટની બંદૂક વડે મોરના શિકાર કરવાની બાતમી મળતા ધરમપુર વન વિભાગ દ્રારા ઘટના સ્થળ પોહચી મોરનો શિકાર કરવા આવેલા 3 આરોપીઓને નાની વહિયાળના ડુંગર ઝડપી ગયા હતા

Decision Newsને વન વિભાગના એક ફરજદાર અધિકારીના જણાવ્યા અનુસાર ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામના ડુંગર ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા શિકારીઓ આવવાની બાતમી મળી હતી. જે આધારે વન વિભાગની ટીમે નાની વાહિયાળ ગામના ડુંગર પર નજર રાખી હતી આ દરમિયાન દેશી હાથ બનાવટની બંદૂક સાથે 3 શિકારીઓ શિકારની શોધમાં આવ્યા ત્યાં જ વન વિભાગે શિકારીઓ શિકાર કરે તે પહેલાં તેમને ઘેરી લઇ પકડી લેવામાં આવ્યા હતા.

હાલમાં તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય મોર શિકારીઓ માંકડબનના પિતા પુત્રની જોડી હતી. વન વિભાગ ટીમે આ ઘટના વિષે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે