માંગરોળ: આદિવાસી સમાજ પ્રકૃતિ તત્વોની જે વર્ષોથી પૂજા અર્ચના કરતો આવ્યો છે અને આજે પણ કરે છે તેના તહેવારો પણ પ્રકૃતિ સાથે જોડાયેલા છે ત્યારે આજરોજ માંગરોળ તાલુકાના બોરીયા ગામે નાંદરવા દેવની ઉજવણી કરવામાં આવી હતી.
નાંદરવા દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે જયારે પહેલાં વરસાદનું આગમન થાય છે અને નવી નવી જાત જાતની ઘાસની અંકુરો ફુટી નિકળે છે અને પ્રકૃતિ આ દરમ્યાન લીલોતરીનું ખુબ સુંદર રૂપ ધારણ કરે છે જેની ખુશીમાં પ્રકૃતિનાં આ રુપના વધામણા માટે આદિવાસી નવા સમાજ દ્વારા પારંપરિક વિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે. આદિવાસી સમાજ પશુપાલન સાથે સંકળાયેલો છે. પોતાના ઢોરઢાંખરને પોતાના સભ્યોની જેમ જ રાખે છે એટલે આખાં વર્ષ દરમિયાન ઢોરઢાંખર નું આરોગ્ય જળવાઈ રહે, ખાસ ઢોરઢાંખરમાં કોઈ રોગ કે આવે છે અને ખેતરોમાં ઊગેલા બિમારીના આવે એનાં માટે નવા ધાન્ય અને પશુધન પ્રકારની વનસ્પતિઓ (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને જંગલમાંથી લાવીને ઔષધિ પ્રાર્થના કરવામાં આવે છે.
આ ઉપરાંત ઘરના ઢોરઢાંખર પર ઔષધિનો છંટકાવ કરવામાં આવે છે એટલે ઢોરઢાંખરના સારા સ્વાસ્થ માટે નાંદરવા દેવની પૂજા કરવામાં આ દિવસે ગામના લોકો ભેગા મળીને ગામમાં ખેતીકામમાં વર્ષ દરમિયાન મજૂરીના દર પણ નક્કી કરે છે.

