સુરત: ગોપાલ ઇટાલીયા વરાછા પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરો, મહાપાલિકાના આપના કોર્પોરેટરો, પ્રદેશના હોદ્દેદારો સ્થાનિકોએ સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરાયું હતું. સરદાર પટેલની પ્રતિમાને દૂધથી અભિષેક કરાવ્યો હતો. શહેરમાં આવેલા ખાડી પૂર અંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ‘હાલ સુરતમાં ખાડી પુર આવ્યું છે.
વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પરંતુ આખા ભાજપનો ઘમંડ તોડશે. સી આર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયાં ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી ખુલ્લી ચેલેન્જ છે કે, હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે. ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ.
જનતાનું શાસન ફરી આવશે ‘કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લડશે-બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં ફરી સ્થાપિત કરી બતાવશે.

