નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મીણકચ્છ ગામમાં એક આધેડનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. વિજય પટેલ નામના આધેડ 4 દિવસ અગાઉ ખાડીમાં ગરકાવ થયા બાદ ગુમ થયા હતા.
આજે સવારે સુથવાડની નદીમાંથી તેમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. નદીમાં પાણીનું સ્તર ઘટતા મૃતદેહ બહાર તણાઈને આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ)ની ટીમે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
મૃતકના પરિવારજનોએ મૃતદેહની ઓળખ વિજય પટેલ તરીકે કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ચીખલી પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

