ઉમરપાડા: 22 તારીખથી ગુમ થયેલ ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં હેર કટીંગની દુકાન ચલાવતાં આપણા આદિવાસી સમાજના યુવાનને લાશ પાટીખેડાની નદી વિસ્તારમાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ 22 તારીખે સાંજે ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં હેર કટીંગની દુકાન પરથી ઘરે કાલીજામન જવા નીકળેલા આદિવાસી યુવાન કાલીજામન ગુમ થઇ ગયો હોવાનું કહેવાઈ રહ્યું હતું બાદમાં આજે તેમની પાટીખેડાની નદી વિસ્તારમાંથી ઈજા પોહ્ચાડેલ સ્થિતિમાં લાશ મળી આવતાં તેની હત્યા થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.
ઘટનાને લઈને સ્થાનિક ડેડીયાપાડ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યું હતું. યુવાનના મોં પર ઈજા પોહ્ચાડવામાં આવી હતી. તેમના દાત પાડી નાખવામાં આવ્યા અને તેની લાશ ઝાડી- ઝાંખરામાં ફેકી દેવામાં આવી હતી.

