નવસારી: નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા રામજી ખત્રીની નાળ હમિદ વેલ્ડીંગવાળાની આજુબાજુમાં આવેલા 50થી વધુ ઘરોમાં દૂષિત પાણી આવતા લોકોએ આવું પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની તે બાબતે વહીવટી તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

નવસારી શહેરના રામજી ખત્રીની નાળ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ થાય છે. જેમાં શરૂઆતમાં પાંચથી દસ મિનિટ દુષિત પાણી આવતું હતું ત્યારબાદ ચોખ્ખું પાણી આવતું હતું.ગતરોજ સવારે પાણી આવ્યું જે કાળા રંગનું હોય સ્થાનિકોએ આ પાણી વાસણ સાફ કરવા પણ ન વપરાય તેવું હોય ઢોળી નાખ્યું હતું અને બીજા ઘરોમાં પણ દુષિત પાણી આવતા સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરતા વહીવટી તંત્રની ખામી ઉપર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ જાહેર આરોગ્ય સાથે ચેડા નહીં થાય તે માટે તરત પાણી લાઇનમાં દૂષિત પાણી કેમ આવે છે તેની તપાસ કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નગરમાં ચોમાસાની શરૂઆતમાં જ ફરીથી અવાર નવાર અલગ અલગ સ્થળ પર દુષિત પાણી આવતા લોકો માટે આ સમસ્યા દોજખ બની ગઇ છે. વહેલી તકે તેનું નિરાકરણ લાવવામાં આવે તો જ રાહત થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here