વાંસદા: વાંસદા તાલુકાના ઉનાઇથી ખડકાળા થઈ વાંસદા ધરમપુર જતા હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. પ્રથમ વરસાદમાં જ રસ્તો ખખડધજ બનતા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. છેલ્લા 3-4 વર્ષથી સરકારી અધિકારીઓને કંઈ જ પડી નથી. આ રસ્તા પર પાણી નિકાલની નક્કર કામગીરી કરવાની હાઈવે ઓથોરિટીનું પેટનો પાણી હાલતું નથી. રાજકીય આગેવાનો પણ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સામે કંઈ જ ઉપજતું નથી, માત્ર હા હા કરે પણ નક્કર કામગીરી ન કરાતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.
વાંસદા તાલુકાના ઉનાઇ-ખડકાળા થઈ વાંસદાથી ધરમપુર તરફ જતો નેશનલ હાઇવે પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રથમ વરસાદે રસ્તા પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ રસ્તા પરથી સરકારી અધિકારી નીકળતા હોય છે અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નીકળતા હોવા છતાં કામગીરી કરાતી નથી.
હાઇવે ઓથોરિટી અધિકારીઓને સરકારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફોન કરે ત્યારે હા હા કરી કામગીરી કરતા નથી. જેનો ભોગ વાહન ચાલકો બને છે. ઘણા વાહન ચાલકોને ફ્રેકચર થયા છે તો ઘણાએ જીવ પણ ગુમાવ્યા છે. આ રસ્તા પરથી નીકળવાનો અને દિવસમાં આસમાનમાં તારા દેખાય છે. આ રસ્તા પર ખાડાઓને લઈ ખડકાળા સુધી સતત વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

