ખેરગામ: ખેરગામ તાલુકાના વાડ ગામના વડ ફળિયા વિસ્તારમાં રહેતા ખેડૂત વલ્લભભાઈ આહીરની આંબાવાડીમાં વીજપોલ ઉપરથી તૂટેલો જીવંત વીજતાર જમીન ઉપર પડયો હતો. જે જીવંત વીજતાર દીપડાને અડી જતાં કરંટ લાગતા દીપડાનું મોત નિપજ્યું હતું. વાડ તેમજ આસપાસના વિસ્તારમાં દીપડો ફરતો હોવાની દહેશત છેલ્લા કેટલાક દિવસથી લોકોમાં વ્યાપી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ વાડ ગામના વડ ફળિયામાં વલ્લભભાઈની વાડીમાં રાત્રિના સમયે આશરે દોઢ વર્ષનો દિપડો શિકારની શોધમાં આવ્યો હતો. દુર્ભાગ્યવશે તે તૂટેલા વીજતારના સંપર્કમાં આવતાં તેને વીજ કરંટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તરત જ ચીખલી વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃત દીપડાનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પીએમ બાદ વન્યજીવ નિયમોનુસાર દીપડાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. વન્યજીવ સુરક્ષાની દષ્ટિએ આવી દુર્ઘટનાઓ ટાળવા તંત્રને જરુરી પગલાં લેવાની જરૂર હોવાનું લોકોનું માનવું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here