નવસારી: નવસારી જિલ્લા પંચાયત હેઠળ આવતા 12 જેટલા રસ્તાઓને પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરમાં આવવા માટે લાંબો ચક્કર લેવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અન્ડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં તેને પણ બંધ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી તાલુકામાં વરસાદ નહીવત છે. જો કે, ઉપરવાસમાં થયેલા વરસાદની અસર હેઠળ જિલ્લાના રસ્તાઓ પર પાણી ભરાયા છે. વહીવટી તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here