દાહોદ: આજરોજ દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના હાથને માનશિક રીતે અસ્થિર વ્યકિતએ ખંડિત કરતા ચકચાર મચી જવા પામ્યો અને મોડી રાત્રેથી આદિવાસી સમાજે ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ પર મૂર્તિના હાથને ખંડિત કરવામાં આવ્યો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યા હતો. અને આ હિન કૃત્ય આચરનાર શખ્સને જેલ હવાલે કરવાની માંગ ઉઠી હતી. ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તોડનાર સામે આદિવાસી સમાજે રોષ વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી.
જે અંગેની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પૂછપરછ કરી તપાસ કરી હતી. જે બાદ આ કૃત્ય આથરનાર શખ્સની અટકાયત કરી હતી. પ્રાથમિક રીતે તપાસ કરતા પ્રતિમાને નુકસાન કરનાર શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસનું અનુમાન છે.

