દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને મંજૂરી આપી છે. આ દરમિયાન, એવું કહેવામાં આવ્યું છે કે મુખ્ય જનગણનામાં જાતિ વસ્તી ગણતરી પણ કરવામાં આવશે.
કેવી રીતે થાય છે જનગણના?
જનગણના માટે સરકારી કર્મચારી નિમણૂક કરવામાં આવ્યા છે . આ કર્મચારી અલગ અલગ જગ્યાએ જશે અને લોકોના ઘરે જઈને અલગ અલગ પ્રકારની જાણકારી લેશે. સરકાર તેમને જનગણના માટે એક ઓળખ પત્ર પણ આપશે.પણ જો કોઈ પણ કર્મચારી પર શંકા હોય તો તમે તેના ઓળખપત્રની માગણી કરી શકો છો અને તેને જોઈ શકો છો. આ જનગણના બે ભાગમાં થવાની છે. પહેલા રહેઠાણની અને બીજા ભાગમાં રહેઠાણની વસ્તી ગણતરીની. રહેઠાણ સંબંધિત સવાલોમાં વીજળી, શૌચાલય, અને પ્રોપટી વિશેના સવાલ કરવામાં આવશે.
કેવા સવાલો પૂછવામાં આવશે?
બીજું ફોર્મ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનું હોય છે. આ ફોર્મમાં ઘરના બધા જ સભ્યો વિશે સવાલો કરવામાં આવે છે.જેમ કે માતાનું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, વ્યવસાય, રહેઠાણનું સરનામું, હાલનું સરનામું, ધર્મ, ઉમર, જાતિ તેમજ માતૃભાષા અને બીજ કઈ ભાષાનું જ્ઞાન છે. તેમજ અલગ અલગ પ્રકારના સવાલો પૂછવામાં આવશે જેવા કે, શિક્ષણ વિશે, રોજગાર વિશે, ઉધોગ વિશે, તેમજ કેવો રોજગાર જોઈએ છે. આવા સવાલો પૂછવામાં આવશે. તેમજ કુલ 29 જેવા સવાલો કરવામાં આવશે.
ક્યારે શરૂ થશે જનગણના?
ભારતમાં આ વખતે બે ભાગમાં વસ્તી ગણતરી કરવામાં આવશે. તેનો પહેલો ભાગ 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે. આ સમય દરમિયાન પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમ જ બીજો ભાગ 1 માર્ચ 2027એ શરૂ કરવામાં આવશે. તેમજ તે સમય દરમિયાન મેદાની વિસ્તારોમાં રહેતા લોકોની વસ્તી ગણતરી કરવામાં આવશે. આ વખતે જાતિ આધારિત જનગણના કરવામાં આવશે. જાતિ વસ્તી ગણતરીની મોટી અસર ઓબીસીમાં જોવા મળશે.

