નવસારી: નવસારીના રિંગરોડને લાગુ વરસાદી મનપાએ સફાઈ કરવાનું શરૂ કર્યું પણ બીજી તરફ વર્ષોથી ભરાયેલ ગંદુ પાણી, જળકુંભી સફાઈનું કઈ કરવામાં આવતું નથી. હાલ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત નવસારી શહેરમાં ઠેર ઠેર વરસાદી કાંસની સફાઈ મનપા કરાવી રહી છે. જે અંતર્ગત રિંગરોડને લાગુ દક્ષિણ પૂર્ણા બ્રિજથી મિથિલાનગરી બ્રિજ તરફ પણ સફાઈ શરૂ કરાઈ છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારીના રિંગરોડને લાગુ વરસાદી મનપાએ સફાઈ કરવાનું શરૂ કર્યું પણ બીજી તરફ વર્ષોથી ભરાયેલ ગંદુ પાણી, જળકુંભી સફાઈનું કઈ કરવામાં આવતું નથી. હાલ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત નવસારી શહેરમાં ઠેર ઠેર વરસાદી કાંસની સફાઈ મનપા કરાવી રહી છે. જે અંતર્ગત રિંગરોડને લાગુ દક્ષિણ પૂર્ણા બ્રિજથી મિથિલાનગરી બ્રિજ તરફ પણ સફાઈ શરૂ કરાઈ છે. જોકે મળતી માહિતી મુજબ મિથિલાનગરી બીજથી પૂર્વ બાજુ વર્ષોથી સફાઈ કરાઈ નથી.

અહીં ગંદકી તથા માટીના થર તો જામી ગયા છે, સાથે જળકુંભી પણ ઊગી નીકળી છે. આ હાલ તળાવ જેવી લાગતી જગ્યા ખાનગી હોવાની પણ જાણકારી મળી છે,જે ના કારણે સફાઈ મનપા કરાવતી નથી. જોકે અહીં પણ સફાઈ તો જરૂરી જ બની છે.