નવસારી: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ ઉપર માત્ર 10 ટકા વાહનચાલકો ઉપયોગ કરે છે. જ્યારે પ્રકાશ ટોકિઝ અંડરબ્રિજનો 90 ટકા લોકો ઉપયોગ કરતા હોય ટ્રાફિકજામની સમસ્યા થયા છે. જેને લઇ માત્ર ટુવ્હિલરને જ અંડરબ્રિજમાંથી પસાર થવાની લોકમાગ ઉઠી છે. નવસારીમાં કુદરતી પૂર આવે ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાનો સંપર્ક તૂટી જતા રેલવે ઓવરબ્રિજ બનાવ્યો પણ પહેલી જ રેલમાં પાણી ઓવરબ્રિજ પર આવી જતા કરોડોનો ખર્ચ પાલિકાને માથે પડયો હોય તેવું શહેરીજનોને લાગ્યું.
Decision News ને મળેલી જાણકારી મુજબ હાલ ઓવર બ્રિજ બન્યો છતાં તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે 100 ટકા ઉપયોગ કરવામાં આવે તે જરૂરી બન્યો પણ માત્ર 10 ટકા વાહન ચાલકો ઉપયોગ કરતા હોવાની માહિતી મળી છે. 90 ટકા વાહનચાલકો અને રાહદારીઓ અંડર બ્રિજ નીચેથી જતા હોય છે ત્યારે સવારે ટ્રાફિક જામની પરિસ્થતિ ઊભી થતા સ્થાનિકોએ અંડર બ્રિજમાંથી માત્ર ટુ વ્હિલર પસાર થાય તે માટે કમિશ્નરને પત્ર લખી માંગ કરી છે નવસારીના રેલવે સ્ટેશન પૂર્વ દિશામાં ઓવર બ્રિજની બાજુમાં રાણા નર્સિંગ હોમનો રોડ સાંકડો છે. આ રોડ મોટો બનાવવા સ્થાનિકોએ અપીલ કરી છે.
જો રોડ મોટો ન બને તો ફક્ત ટુ વ્હિલર વાહન ચાલકો અને રાહદારીઓ ઉપયોગ કરી શકે તે માટે પૂર્વ અને પશ્ચિમ દિશાએ લોખંડના થાંભલા નાંખવામાં આવે જેથી ફક્ત ટુ વ્હીલર વાહન પસાર થાય તેટલી જગ્યા રાખવી જોઈએ. જેથી અન્ય વાહનો બ્રિજ પરથી પસાર થઇ શકે.હાલમાં 10થી 15 ટકા લોકો જ બ્રિજનો ઉપયોગ કરે છે. સવાર-સાંજ પ્રકાશ ટોકીઝના અંડરબ્રિજમાં ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે ત્યાં કોઈ ટ્રાફિક કર્મી નથી. લોકો પોતાની રીતે ટ્રાફિકની સમસ્યા દૂર કરતા હોય છે. જેથી બન્ને બાજુએ ટુ વ્હિલર પસાર થાય તે માટે લોખંડના થાંભલા નાખવામાં આવે તો ટ્રાફિક જામ નહીં થાય અને ઓવરબ્રિજનો પણ લોકો ઉપયોગ કરી શકે તેમ છે.

