માંડવી: સરકાર દ્વારા 2019 ના રોજ વિત મંત્રી નિર્મલા સીતારામન દ્વારા હર ઘર નળ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારે 2024 સુધી દરેક ગામોમાં દરેક વ્યક્તિ દીઠ 55 લીટર ચોખ્ખું શુદ્ધ પાણી પીવાની તેમજ અન્ય જીવન જરૂરિયાત માટેની પાણીની સમસ્યાઓને પૂર્ણ કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ દુર્ભાગ્ય છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અને દેશના અનેક વિસ્તારોમાં પછાત વર્ગના લોકો આ યોજનાથી હજુ પણ વંચિત છે
Decision news ને મળેલી જાણકારી મુજબ માંડવી વિસ્તારમાં પીવાનું ચોખ્ખું શુદ્ધ પાણી વંચિત થવાનું કારણ યોજનાના અંતર્ગત દરેક ગામોમાં નળ લગાવવામાં આવ્યા પરંતુ તેમાંથી હજુ સુધી પાણી આવી ચૂક્યું નથી અને સમસ્યા ત્યાં ઉત્પન્ન થાય છે જ્યારે સમગ્ર કામગીરીમાં રસ્તાઓ ખોદી અને તેમાંથી પાઇપ પસાર કરવામાં આવે પછી તે રસ્તાનો ફરી સમારકામ ન થતાં ચોમાસામાં લોકોને જવા માટે સમસ્યા પણ ઉત્પન્ન થાય છે.
આ સમગ્ર સમસ્યા સહન કર્યા બાદ જે લોકોને પાણીનું પુરવઠો મળી ન રહેતો હોય તો સરકાર દ્વારા 2024 સુધીમાં સમગ્ર દેશના ગામોમાં પાણી પહોંચાડવાની આ યોજના પણ નિષ્ફળ રહીએ ગણી શકાય છે કારણ કે ગુજરાતના 60% ગામોમાં હર ઘર નળ યોજના નો લાભ મળ્યો નથી જેના કારણે તંત્ર પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે

