ડેડીયાપાડા: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સતત લડતાં એવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ PSIને પોલીસની વર્દી ઉતારી નાંખવાનું કેમ કહ્યું?

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને બબાલ એટલી વધી ગઇ કે બંને વચ્ચે તુ તુ મે મૈં પણ થઇ ગઇ હતી. વસાવાએ તિલકવાડા PSIને કહ્યુ હતું કે, તમારી પોલીસની વર્દી ઉતારી નાંખો અને ભાજપનો પટ્ટો પહેરી લો.

વાત એમ બની હતી કે નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડાના અલ્વા ગામમાં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો અને મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાનો પુત્ર મૃતદેહને ટ્રેકટરમાં લઇને સ્માથાન ગૃહ જઇ રહ્યો હતો ત્યારે AAPના કેટલાંક નેતાઓએ તેને અટકાવ્યો હતો અને શબવાહિનીમાં મૃતદેહ લઇ જવાનો આગ્રહ કર્યો હતો. આ વાત વધી જતા મૃતક મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેની પોલીસ તપાસ કરી રહી હતી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here