ધરમપુર: બ્લડ કેન્સર નામ સાંભળતા જ જાણે ગરીબ માણસ જીવન માર્ગમાં આગળ વધવા સામે અંધાર પટ છવાઈ જાય છે, નિરાશા માણસને ઘેરી લે છે, બહુ ઓછા લોકો હોય છે જે આવા સમયે પણ હિંમત હારતાં નથી પણ. બ્લડ કેન્સર થયાની જાણ થતાં જ એક યુવાન હિમંત હારી ગયો અને તેણે ધરમપુરની હોસ્પિટલમાંથી ત્રીજા માળેથી કૂદકો મારી મોત વ્હાલ કર્યું!

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે બ્લડ કેન્સરની ગંભીર બીમારીથી કંટાળેલા ખેરગામ તાલુકાના પાણીખડક ગામના 37 વર્ષીય શાંતિલાલ પટેલે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં 7 દિવસની સારવાર લીધા બાદ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના બની હતી

આ ઘટના વિષે પરિવાર એટલે કે મૃતકના ભાઈનું એમ કહેવું હતું કે શાંતિલાલ હોસ્પિટલનાં બાથરૂમમાં જઈ “હું બોલાવું પછી આવજે” એમ કહી કુટુંબી ભાઈને છેતરી બાથરૂમની બારીના કાચ તોડી કુદી પડ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.