રાજકોટ: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની વધતી સમસ્યાઓને ધ્યાન પર લઈને તેને અટકાવવાની પહેલ સ્વરૂપે આજરોજ રાજકોટ શહેરમાં કમલેશભાઈ પાટડીયાના હસ્તે વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું હતું.
દુનિયામાં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતીનું તાપમાન વધતું જોવા મળે છે. ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતીનું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈએ છીએ કે દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કારણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી કમલેશભાઈ પાટડીયા રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલભાઈ ત્રિવેદી તથા તેમના મિસિસ વંદનાબેન ત્રિવેદી સોની સમાજના કાર્યકર્તા કૈલાશભાઈ રાજપરા, સંદીપભાઈ રાણપરા, જિયાંશભાઈ, ઉત્તમભાઈ, અતુલભાઈ, અશોકભાઈ સહિતના કાર્યકર્તાઓ સહગયોગથી આજે વૃક્ષારોપણ કરાયું.

