ભરૂચ: વર્તમાન સમયમાં આદિવાસી લોકો પર અત્યાચારો થયાની ઘટનાઓ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે ત્યારે આજે ગુજરાતના ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના યુવકને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે..
જુઓ વિડીયો…
Decision News ને મળેલી માહિતી મુજબ આગમાં દાજી જવાના લીધે આદિવાસી યુવકની હાલત ખૂબ જ ખરાબ છે ત્યારે ડેડિયાપાડાના આદિવાસી લોકનાયક અને ધારાસભ્યશ્રી ચૈતર વસાવા પીડિતને હોસ્પિટલમાં મળ્યા ગયા અને આ ઘટનાની પોલીસને તાત્કાલિક તપાસ કરી ગુનેગારો સામે ત્વરિત કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

