ડેડીયાપાડા: હત્યા કે આત્મહત્યા ? ગતરોજ ડેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામની સીમમાં આવેલા જંગલમાં ઝાડ પર ઓઢણીથી બે પ્રેમી પંખીડાઓની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામ પાસે સીમમાં આવેલા જંગલમાં સાગના ઝાડ પર એક યુવતી અને યુવાન બંનેની ગળામાં દુપટ્ટો બાધી લટકેલી હાલતમાં લાશ મળી આવી હતીઘટ. આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા અને આ પ્રેમી પંખીડાનાં ફોટો સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વંટોળ ઉઠયો હતો.

આ ઘટનાને ખબર ડેડીયાપાડા પોલીસ મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બંનેની લાશ નીચે ઉતારી તેનો કબજો લઇ PM માટે ડેડીયાપાડા સરકારી હોસ્પીટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હવે લોકો સવાલ ઉભો એ કરી રહ્યા છે કે પ્રેમી પંખીડાએ કોઈ કારણસર આત્મહત્યા કરી કે પછી તેમની હત્યા કરવામાં આવી છે.