દાનહ: દાદરા નગર હવેલીના નરોલી ગામે વિજ્યાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ભારતના વૈભવશાળી અને વિજયની પરંપરાના સ્મરણમા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્યાદશમી ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજ્યા દશમી અને પથ સંચલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ નરોલી હાઇસ્કુલ મેદાન પર આયોજીત આ પથ સંચલન કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે નિવૃત વરિષ્ઠ અધ્યાપક વીરેન્દ્રસિંહ ચૌહાણ સાથે પ્રમુખ વક્તા તરીકે ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ નંદકિશોર અને સુભાષ કટારીયા તાલુકા કાર્યવાહ ઉપસ્થીત રહ્યા હતા. પથ સંચલનની શરૂઆત નરોલી હાઇસ્કુલ મેદાનથી શરુ કરી નરોલી ચાર રસ્તા, ભવાની માતા મંદિર, દીપ કોમ્પ્લેક્સ, રાજપૂત સમાજ ગ્રાઉન્ડ, મેઈન રોડ, મેઈન રોડથી કમલાની મિલ, ગંગેશ્વર મહાદેવ મંદિર થઇ પરત નરોલી હાઇસ્કુલ પર આવી હતી.

આ પથ સંચલનને ચાર રસ્તા પર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામા આવ્યુ હતુ, જેમા 200થી વધુ સંખ્યા ગણવેશ ધારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમા નરોલી નગરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામા ભાગ લીધો હતો.