વાંસદા: વેચાણ અર્થે સોનું આપવા બોલાવેલી વાંસદા તાલુકાની એક પરિણીતાને આણંદ લઇ જઈ બળાત્કાર કરી એક મુસ્લિમ યુવાનને મોકલી દેવામાં આવી હોવાના પ્રકરણમાં ગુનો નોંધાતા યુવાનની ઓળખ કરાવનાર વાંસદાની મુસ્લિમ મહિલાની પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કર્યાની વાતો સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા ખાતે કોટેજ હોસ્પિટલ સામે જમાદાર ફળિયામાં રહેતી રઝિયા યુનુસભાઈ સોડાવાળાએ ગોવા સુવા જવા માટે ૧૦ દિવસના રૂ.૨ લાખ આપવાની એક પરણીતાને ઓફર કરી હતી. પણ પરણીતાને ઓફર ની ના પાડતા રઝિયા સોડાવાળા પરિણીતાના ઘરે જઈ તારે બે-ત્રણ કલાક સુધી ઉસ્માન પટેલ નામના મુસ્લિમ યુવક સાથે સુવુ પડશે તેના રૂ. ૧ લાખ આપવાનો છે, તારી પરિસ્થિતિ નબળી છે તો તું ઉસ્માન સાથે સુવા તૈયાર થઈ જા, એવી લાલચ આપતા, પરિણીતાએ મજાકમાં હા પાડેલ હતી.

ત્યારબાદ ઉસ્માને પરિણીતાને વોટ્સએપ પર સોનાના બિસ્કિટ વાળો વીડિયો મોકલી સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી, કમિશન જે મળે એ તું રાખી મુકજે તેવું કહ્યું હતું. પણ પરિણીતાએ પાર્ટી સાથે મળવાનો આગ્રહ રાખતા તેને સુરત બોલાવી અને ત્યાંથી અંકલેશ્વર બોલાવી ઉસ્માન અંકલેશ્વરથી પરિણીતાને આણંદ ખાતે આવેલ સનમ પાર્કમાં આવેલા તેના ઘરે લઈ જઈ પરણીતા સાથે બળાત્કાર કર્યો ત્યારબાદ તેને મારી નાખવાની અને વાંસદા આવી બદનામ કરવાની ધમકી આપી હતી. હાલમાં પરિણીતા અરજી આધારે પોલીસે પુરાવા ભેગા કરી ઉષ્માન અને રઝીયા એમ બન્ને સામે ગુનો નોંધી રઝિયા સોડાવાળાની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરી હોવાની જાણકારી પોલીસ સુત્રો પાસેથી મળી છે.

આ ઘટનાને લઈને જો પોલીસ ઝીણવટભરી તપાસ કરે તો સત્ય અને અસત્યો હજુ ઘણાં બહાર આવશેની વાંસદાના આલમમાં લોકચર્ચા ઉઠી અહી છે.