નર્મદા: ગુજરાતમાં દારૂ પીને બેફામ ગાડી હંકારી અકસ્માત સર્જતા લોકો ઉપર કાર્યવાહી બાદ છોટુ વસાવાએ ટ્વીટ કરી છે અને પીનાર સાથે દારૂ વેચનાર મોટા બૂટલેગરો ઉપર કાર્યવાહી આ સરકાર દ્વારા કયારે કરવામાં આવશે એવો સવાલ કર્યો છે.

છોટુ વસાવાએ ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડી દારૂનો મોટા પાયે વેપાર કરનારા બુટલેગરોની ગુજરાત પોલીસ ક્યારે આ રીતે સરભરા કરશે ? મહત્વનું છે, જે ગુજરાતમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતા નબીરાઓ ઉપર કાર્યવાહી થવી જોઈ પરંતુ સાથે એ દારૂ, અફીણ, ગાંજો, ચરસ જેવા પદાર્થોનું વેચાણ કરતા અસામાજિક તત્વો, બૂટલેગરો ઉપર પણ જાહેરમાં આ રીતે કાર્યવાહી કરવા આવે.

છોટુ વસાવાનું કહેવું છે કે આજે ગુજરાતનું યુવા ધન આ નશીલા પીણાં થી બરબાદ થઈ રહયું છે. જેથી સરકાર આ બેફામ બનેલા બૂટલેગરો ઉપર પણ કાર્યવાહી કરી જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરવી જોઈએ. અને તેમણે અંકુશમાં લાવવા જોઈએ.