પ્રતિકાત્મક ફોટોગ્રાફ

નાંદોદ: ગુજરાતમાં મહિલા સંરક્ષણને લઈને ઘણાં કાયદાઓ અને પોલીસની સઘન કામગીરીના થયા છતાં મહિલાઓ પર થતાં શારીરિક અને માનશીક અત્યાચારોની સંખ્યામાં ઝોઝો ફરક દેખાય રહ્યો નથી ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની સગીર દીકરીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયાની ફરિયાદ સામે આવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સગીરાની માતાએ આમલેથા પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ તેમની 14 વર્ષીય દીકરીને નાંદોદ તાલુકામાં રહેતા પરેશ શાંતિલાલ વસાવા નામના યુવાન દ્વારા બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયું હતું.

દીકરીની માતા જણાવે છે કે મારી દીકરી સગીર વયની હોવાનું જાણવા છતા તેની માતાના વાલીપણામાંથી બળજબરીથી ખેચી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ જઇ ગુનો કરતા પોલીસે પરેશ વસાવા સામે ગુનો દાખલ કરી આગળની કામગીરી હાથ ધરી છે.