વાંસદા: આજરોજ બપોર પછી વાંસદા તાલુકાનાના ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવનના ઝાપડા સાથે ધોધમારમાં વરસાદ તૂટી પડતા ખેડૂતોનો તૈયાર થયેલો કેરીનો પાક ધરાશયી થઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના ગામડાઓમાં આજે બપોર પછી પવન સાથે ત્રાટકેલા વરસાદ કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. રાણી ફળિયા, દુબળ ફળીયા, ચારણવાડા, મનપુર, ગંગપુર, લાછકડી વગેરે વિવિધ ગામડાઓમાં કેરીઓ આંબા ઝાડ પરથી નીચે પડી ગઈ હતી. આજના આ માવઠાએ ખેડૂતોના કેરીના પાક પર પાણી ફેરવી દીધું છે એમ કહેવામાં ખોટું નથી. ખેડૂતોની હજરો મણ કેરીઓ જમીનદોસ્ત બની છે.
વાંસદામાં છેલ્લા બે ત્રણ દિવસથી આ વરસાદી વાતાવરણ છવાયેલું રહેતું હતું પણ આજે અચાનક બપોર પછી વાતાવરણ પલટાયું અને પવન સાથે ધોધમાર વરસાદ આવતાં કેરીનો પાક તૈયાર કરીને માર્કેટ લઇ જવાની આશા સેવીને બેઠેલા ખેડૂતોને માથે હાથ દઈ બેસવાનો વારો આવ્યો છે.

