સિનેવર્લ્ડ 90ના દાયકાની આવી જ એક અભિનેત્રી જેણે નવમા ધોરણ પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી માત્ર ત્રણ વર્ષમાં તેણે 20 ફિલ્મોમાં કરી ઓછા સમયમાં ખ્યાતિની તે ઊંચાઈઓને સ્પર્શી લીધી જેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દરેક અભિનેત્રી ઈચ્છે છે. આપણે વાત કરી રહ્યા છે દિવ્યા ભારતીની..

એવું કહેવાય છે કે દિવ્યાની બોલતી આંખો, આકર્ષક સ્ટાઈલ અને શાનદાર અભિનયએ બહુ ઓછા સમયમાં લોકોને દિવાના બનાવી દીધા હતા. જોકે 19 વર્ષની ઉંમરે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. દિવ્યાનો જન્મ 25 ફેબ્રુઆરી 1974ના રોજ થયો હતો. તેમના પિતા ઓમપ્રકાશ ભારતી વીમા કંપનીમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતી. દિવ્યા નવમા ધોરણ સુધી ભણેલી હતી. જ્યારે દિવ્યા તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેનું 5 એપ્રિલ, 1993ના રોજ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેને દુનિયા છોડીને 30 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમના મૃત્યુનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.

5મી એપ્રિલની રાત્રીએ..

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અકસ્માતના દિવસે દિવ્યા ચેન્નાઈથી મુંબઈમાં પોતાના ઘરે પરત ફરી હતી. તે એક ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ જવાની હતી, પરંતુ પગમાં ઈજાના કારણે શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે ફેશન ડિઝાઇનર નીતા લુલ્લા અને તેનો પતિ તે દિવસે દિવ્યાના ઘરે પહોંચ્યા હતા. ત્રણેય એકસાથે દારૂ પીતા હતા.આ બધા સિવાય અભિનેત્રીની નોકરાણી પણ ઘરમાં હાજર હતી. દિવ્યા નશાની હાલતમાં પોતાની બાલ્કનીમાં બેઠી હતી, જ્યાં ગ્રીલ નહોતી. અહેવાલો અનુસાર જ્યારે ઉઠવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો પગ લપસી ગયો અને તે પાંચમા માળેથી સીધી નીચે પડી ગઈ. દુર્ઘટના બાદ તેને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. કેટલાકે અભિનેત્રીના મૃત્યુને અકસ્માત ગણાવ્યો તો કેટલાકે તેને કાવતરું ગણાવ્યું. તેના ગયા પછી અભિનેત્રીના પતિ સાજિદ નડિયાદવાલા પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ સત્ય એ છે કે દિવ્યાનું મૃત્યુ કેવી રીતે થયું તે કોઈ જાણતું નથી.1998માં લાંબી તપાસ બાદ મુંબઈ પોલીસે દિવ્યાના કેસને અકસ્માત માનીને બંધ કરી દીધો હતો.