ઝારખંડ: જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ-૨૦૨૨નો કાર્યક્રમ યોજાયો. જનનાયક બિરસામુંડાની 147મી જન્મ દિવસની નિમિત્તે જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે 28 રાજ્ય 150 લિડર અને વિદેશી ૫ દેશોમાંથી આદિવાસી સમાજ લિડરોની ઉપસ્થિતિમાં ઝારખંડની પરંપરાગત પ્રકૃતિ પુજા કરવામાં આવી. જેમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ 501 નગારાના અદ્ભુતનાદ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમ એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું,જેઓ કોરોના મહામારીમાં પડી ભાંગ્યા હતાં. તેવા નગારા વાદક અને સંગીતકારને સ્થાન આપવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ૨૮ રાજ્યના આદિવાસી લિડરોનું પાંચ દિવસનું વર્કશોપ થયું તેમાં જેની થીમ ” રી- ઈમેજીંગ (પરિ કલ્પના) ” વિષય પર જેમાં મુખ્ય મુદ્દાઓ ૧) જીવનમાં એવા જે કાર્ય જેમા જેનાથી તમને આપણને ઝટકો લાગ્યો હોય? ૨) જીવનમાં જે ઝટકા થી કંઇ શીખવાનું મળ્યું અથવા તો ભ્રમિત થયા હોય? ૩) જીવનમાં જે કાર્યથી કંઇ બદલાવ બદલાવ આવ્યો હોય? ૪) જીવનમાં હિંમતથી પરિકલ્પના કર્યું હોય એવું કાર્ય? ૫) જીવનમાં જે કાર્યની કલ્પના કરી હોય તેમાં લોકોને જોડવા પ્રયત્ન કર્યો. વિષય પર એક દિવસના મુદ્દાઓ પ્રમાણે આવેલા લિડરોઓ પોતાના કાર્ય વિસ્તારમાં કરે કાર્ય સાથે હાલના આદિવાસી સમાજ વાસ્તવિક મુદ્દાઓ પર વિચારો નું આદાન પ્રદાન કરવામાં આવ્યા તેમાં સુધારાઓ કંઇ રીતે લાવી શકીએ તે ચર્ચા કરવામાં આવી. સાથે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ,જળ, જંગલ,જમીન વિષય પર ચર્ચા કરવામાં આવ્યું.
હાલના તબક્કે સમગ્ર ભારતમાં આદિવાસી સમાજ પડી રહેલ મુશ્કેલીઓ સામનો કંઇ રીતે કરી શકીએ. તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરીને નિરાકરણ કંઇ રીતે લાવી શકીએ ચર્ચા કરવામાં આવી. જેમાં ગુજરાત રાજ્યના સુરતના જિલ્લા ઉમરપાડા,મહુવા, માંડવી વ્યારા જિલ્લાના ડોલવણ, સોનગઢ, નવસારી, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર અને દાદરાનગર હવેલીના ૩૦ જેટલા લિડરો જેઓ અલગ અલગ વિસ્તારોમાં કાર્ય કરી રહેલા તેવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યાં તેમને સ્થાન આપવામાં આવ્યું.
એક્શન યુવા ગૃપ લિડર તરીકે વિજય વસાવા સાથે મહુવા તાલુકાના કાછલ ગામનાં બેસ્ટ સરપંચ એવોર્ડ ધરાવતાં નરેન ચૌધરી સાથે સંવાદ કાર્યક્રમના પુસ્તક વિમોચનમાં ગુજરાત તરફ પોલિકલ લિડરનું લેખ દાખલ કરવામાં આવ્યો. હાલ કાછલના સમરસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કલ્પનાબેન નરેનભાઇ ચૌધરીઓ સુરત જિલ્લાના ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત બંસીભાઇ ડેડુન, કેયુર કોંકણી, ઉજવલ પટેલ, બ્રિજેશભાઇ ભુસારા, નિખિલ ચૌધરી, કલ્પેશ ચૌધરી, પ્રિતેશ ચૌધરી, હિતેશ ચૌધરી, અમીશાબેન ચૌધરી, દર્શના વસાવા, રોશની પટેલ (પર્યાવરણ વૈજ્ઞાનિક અને એડવોકેટ), સુમિત્રા ગામીત, કોકીલાબેન ગામીત હંગાતી સહકાર મંડળીની હાજરી દેખાય હતી.

