ચીખલી: નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12માં ભણતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. જેમાં પરિવારજનો એ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય પર આક્ષેપ કર્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, દ્રષ્ટિ પટેલ એકમ કસોટીની બુક ઘરે ભૂલી જતાં શાળાના આચાર્યએ તેને શાળામાં માર માર્યો હતો. જેને લઈને દ્રષ્ટિએ આ પગલું ભર્યું છે. જેથી પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો.

દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો. ફરિયાદી પરિમલ કાંતિભાઈ પટેલ કે, જે મલવાડામાં મંજુરી કરીને જીવન ગુજારે છે. તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે કે, તેમની 17 વર્ષીય દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતી હતી. ગત 28મી એ યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી, જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું. બીજા દિવસે વિદ્યાર્થિનીઓની બુક શાળામાં જમાં કરાવવાની હતી. જે દ્રષ્ટિએ ન કરાવતા માર માર્યો હતો. જેથી માઠું લાગી આવ્યું હતું. જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાનાં ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાંના દંડા ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

શાળામાં હોબાળો થયો. ચીખલી પોલીસમાં દાખલ ફરિયાદમાં અત્યાર સુધી આચાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર વિદ્યાર્થિનીને બોલાચાલીમાં માઠું લાગી આવતા તેણે આપઘાત કર્યાની નોંધ કરવામાં આવી છે. જોકે, શાળામા હોબાળો થતાં હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બને આરોપી વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવાય તે માટે તજવીજ શરૂ થઈ છે