વાંસદા: જ્યાં દરેક ચુંટણીમાં રાજકારણને લઈને ગરમાવો જોવા મળે છે એવા વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં ગતરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ જોરશોરથી ગેરેંટી કાર્ડનું વિતરણ કરી પ્રચાર-પ્રસાર કર્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં ગતરોજ ગેરંટીકાર્ડનું જાહેર માર્ગ પર ઉભા રહીને વિતરણ કરવામાં આવ્યું હતું આ ગેરેંટી કાર્ડ આપી લોકોને અરવિંદ કેજરીવાલના મિશન ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મહિલા, રોજગાર, વીજળી, આરોગ્ય, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, તીર્થયાત્રા, પંચાયત, ખેડૂતો, શિક્ષણ વગેરેને લઈને ગેરંટી આપવામાં આવી છે.
આ ઉપરાંત 10 લાખ નોકરીઓ અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 3000 ભથ્થું આપવામાં આવશે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી કાર્યકર્તાઓ ડોર ટુ ડોર કેમ્પઈન કરી રહ્યા છે. ગુજરાતમાં સરકાર બનતાં ત્રણ મહિનામાં ગેરંટી પુરી કરવામાં આવશેનું કાર્યકર્તાનું કહેવું હતું.

