ગુજરાત: ગતરોજ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને આંદોલન પર ઉતારેલા સરકારી કર્મચારીઓની 15 જેટલી માંગ સ્વીકારી છે. જેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે સરકાર જૂની પેંશન યોજનાનો આંશિક અમલ કરશે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા પણ ચુકવીશુ. સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર આ યોજના 1-4-2005માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જુની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વિકાર્યો છે. કર્મચારીઓના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે. કર્મચારીઓને મુશ્કેલી ન પડે તેને સરકારે ધ્યાનમાં રાખી છે. સરકારે આંશિક માગણીઓને સ્વીકારી છે. CCC ની પરીક્ષાઓની મુદત લંબાવાઈ છે. ડિસેમ્બર 2024 સુધીમાં પરીક્ષાઓ પાસ કરવાની રહેશે.
વધુમાં તેમણે કહ્યું કે, 7મા પગાર પંચની અમલવારી કરવામાં આવશે અને બાકી ભથ્થાઓની ચૂકવણી કરવામાં આવશે.
આ ઉપરાંત સરકાર દ્વારા આ પણ કહેવાયું..
- મેડીકલ ભથ્થું રૂ.300ના બદલે સાતમા પગારપંચ મુજબ રૂ.1000 કરવામાં આવશે
- મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરાઇ
- પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50%એ પાસના બદલે 40% અને પરીક્ષામાં 5 વિષયના બદલે 3 વિષય રાખવામાં આવેશે.
- કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો
- વ્યાજ દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13વર્ષના 156 હપ્તા કરવામા આવ્યા
- ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કર્યો છે. પહેલા 8 લાખ સહાય મળતી તેમાં વધારો કરી 14 લાખ આપવાનું નક્કી કરેલ છે. 45 વર્ષની મર્યાદાબાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.
- આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવશે. તા.૨૭ એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.
- મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ ૧૮૦ દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.

