ધરમપુર: આજરોજ સવારના સમયે ધરમપુર તાલુકામાં આવેલી માન નદીના પુલ પર કરંજવેરી સાઈડ થી જતા એક સાઇડનો કોર્નરની સાઈડનો સ્લેબ તૂટી ગયો હતો જેના કારણે એક જ સાઈડ વાહનો નીકળી રહ્યા છે ત્યારે અકસ્માતની સંભાવના વધી ગઈ છે.

કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે ધરમપુર તાલુકામાં આવેલી માન નદીના પુલ પર કરંજવેરી સાઈડ થી જતા એક સાઇડનો કોર્નરની સાઈડનો સ્લેબ તૂટી ગયો હતો જેના કારણે એક જ સાઈડ વાહનો શકે એમ છે જેના કારણે કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને જે બાબતે સ્થાનિક લોકો દ્રારા માહિતી આપવામાં આવતા સ્થળ પર જઈ અને નેશનલ હાઇવે ના ડેપ્યુટી ઈજનેરશ્રીને જાણ કરતા એમના દ્વારા કાલથી કામ ચાલુ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે.

ધરમપુર તાલુકામાં આવેલી માન નદીના પુલ અને રસ્તાની સ્થિતિ બાબતે અવારનવાર વહીવટીતંત્રને જણાવ્યા છતાં કોઈ કાળજીપૂર્વક ની કામગીરી હાથ ધરવામાં આવતી નથી આવા કોઈ મુસાફરોએ પોતાની જાનથી હાથ ધોવા પડી શકે છે જે બાબતે લોકો સાવચેતી રાખે અને તંત્ર ધ્યાનમાં લે જો આવી કોઈ ઘટના બનવા પામી તો નહિ થવાનું થશે એ નક્કી છે.