નવસારી: એક કિન્નર સંચાલિત સંસ્થા સ્વીકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને વૃદ્ધોને સેવા કરવાની પ્રવૃત્તિ ચાલાવવામાં આવી રહ્યા હોવાની વાતો સામે આવી છે ત્યારે નવસારી પંથકમાં માનવતાની મહેક પ્રસરી રહી હોય એવું વાતાવરણ ઊભું થયું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના સ્ટેશન પાસે આવેલી ગાર્ડા ચાલમાં કાળુબેન સરવૈયા અને તેમના દિવ્યાંગ દીકરા બાલુભાઇ સરવૈયા સાથે રહે છે. તેઓના ઘરનું છાપરૂ તૂટી ગયું હોવાથી તેમાંથી વરસાદી પાણી પડતું હતું જેના લીધે કાળુબેનના ઘરની સામગ્રી ખરાબ થઈ જવા પામી હતી આ સ્થિતિની ખબર મળતા જ નવસારી સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા આ ઘરની મુલાકાત લેવામાં આવી અને ગાદલા તકિયા અને કોહવાઈ ગયેલી વસ્તુનો નિકાલ કરીને ઘરસરખું કરીને, ઘરને સાફ-સફાઈ કરી આ ઘરવખરીની સામગ્રી તથા ગાદલુ તકિયા સહિત ઘર વપરાશની વસ્તુની વ્યવસ્થા કરી આપી અને છાપરું સરખું કરીને તાડપત્રી પાથરીને પાણી પડે નહીં એવી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
એક કિન્નર સમાજનું સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ આ પ્રકારે સેવાનું લક્ષ્ય રાખે તો સમાજ ઉત્થાન દિશામાં આગળ વધતાં હોવાનો અહેસાસ થાય છે. હાલમાં સમાજના ઘણા લોકો સેવા આપવા તૈયાર છે પણ સમય નથી તેવા લોકો પણ દાન આપી સહાય કરી શકે. સ્વીકૃતિ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ જોડાઈને આવા લોકોને મદદ કરી શકે છે એવું કાર્યકરોનું કહેવું છે.

