નવસારી:ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન’ ગુસ્સામાં થયેલા ઝગડાના કારણે ગુનાહિત પ્રવૃત્તિ કરી બેસેલા ભાઈઓને આજે નવસારી ખાતે જ્યારે પોતાની બેહેનો રાખડી બાંધવા આવી તો બહેનોની અને ભાઈઓની આંખોમાં આંસુઓની ધારા હતી અને પાછા ઘરે આવે એવી પ્રભુ પ્રાર્થના હતી બહેનોના મુખે..

Decision Newsને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજના ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પાવન પર્વ રક્ષાબંધન પર નવસારી સબજેલમાં બહેનો માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઈ. જેલમાં અલગ અલગ ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓના ચહેરા પર ખુશી ઝલકતી હતી કારણ કે પોતાની લાડકી બહેન તેમણે રાખડી બાધવા આવવાની હતી જ્યારે આ ક્ષણ આવી ત્યારે ભાઈ અને બહેનની મુલાકાત ખુબ જ ભાવુક થઇ ગઈ હતી. બહેનોએ હર્ષઆંસુ સાથે ભાઈઓના કાંડે રાખડી બાંધી, મોં મીઠુ કરાવડાવ્યું હતુ. રાખડી બાંધ્યા બાદ ભાઈ-બહેનની વાતોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

હાલમાં નવસારી સબજેલમાં કુલ 328 કેદીઓ છે ત્યારે આજના રક્ષાબંધનના દિવસે જેલ તંત્ર દ્વારા આ વ્યવસ્થા ઉભી કરી એક પ્રયાસ કરવામાં આવ્યો હતો કે બહેનના પ્રેમને જોઈ ભાઈનું હૃદય પરિવર્તન થાય અને સમાજમાં એક સારા નાગરિક બની જીવન સુધારે.