દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

મહુવા: ગતરોજ મહુવામાં આવેલા વેલણપુર ગામના સીમાડે થી પસાર થતી કેનાલમાંથી શુક્રવારે વાલોડ તાલુકાના ગુમ થયેલા યુવાનની લાશ પાણીમાં તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ઘટનાની ગુથ્થી સુલઝાવવાનો પ્રયાસ શરુ કર્યો છે.

પોલીસ જણાવે છે કે મહુવાના વેલણપુર ગામના સીમાડે થી વહેતી કેનાલમાં શુક્રવારે સવારના સમયે એક અજાણ્યા પુરુષની પાણીમાં તરતી લાશ જોવા મળ્યાની જાણ અમને થઇ અને અમારી ટીમ સાથે અમે ઘટના સ્થળ પર પોહચ્યા અને લાશનો કબજો લઇ લીધો હતો.

હાલમાં પોલીસને તપાસમાં એ માલુમ થયું છે કે પાણીમાં તરતી મૃતક યુવાનની લાશ વાલોડ તાલુકાના શાહપોર ગામનો છે. જે થોડા દિવસોથી ગુમ હતો અને તેનું નામ નીતિન મોરી છે. ઘટના વિશેના કારણો શોધવા વધુ તપાસ આદરી છે.