નર્મદા: હાલમાં ધોરણ-12ની પરિક્ષા આપનાર 20 વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તીલકવાડા પોલીસ મથકની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. એવું માનવામાં આવું રહ્યું છે કે આ હત્યા પ્રેમપ્રકરણમાં કરવામાં આવી છે.

આ ઘટના સંદર્ભે મળેલી માહિતી મુજબ વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે માતા-પિતા સાથે રહેતી મીરાં બે દિવસ પહેલા ઘરેથી નીકળેલી મીરા મોડી રાત સુધી ઘરે ફરત ન ફરતાં પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ મથકમાં તેના ગુમ થઈ ગયાની ફરિયાદ લખવી હતી ત્યારે નર્મદાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ કરી ત્યારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાની લાશના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી આવી લાશની ઓળખ કરી હતી.

મીરાંની લાશની ઓળખ થયા બાદ તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાજા જાણકારી અનુસાર તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.