દક્ષિણ ગુજરાત: આમ આદમી પાર્ટી અને BTP માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મુલાકાતો વધી રહી છે પણ હજુ સુધી BTP આપ સાથે ગઠબંધન કરીને ચુંટણી લડશે કે પછી આપ પાર્ટીમાં સામેલ થઈને ચુંટણીમાં ઝંપલાવશે એ નક્કી નથી થયું એમ લાગી રહ્યું છે.

બિટીપીની રીક્ષામાં સવાર થઈ આપને ગુજરાતમાં કમળ સામે ઝાડું ફેરવવા ગઠબંધન જ વિકલ્પ હોવાનું MLA મહેશ વસાવા જણાવી ચુક્યા છે. બીજી બાજુ એવી ચર્ચા છે કે કેજરીવાલ ઈચ્છે છે કે, BTP આપમાં જોડાઈ ચૂંટણી લડે જ્યારે છોટુભાઈ વસાવાની ઈચ્છા BTP અને AAP ના ગઠબંધનની છે.

MLA મહેશ વસાવા એ કહ્યું હતું કે, કેજરીવાલનો વિષય છે, આપ માંથી લડો. જ્યારે અમારો ગઠબંધન તેમણે વધુમાં જણાવ્યું કે છોટુ વસાવા અને અમે છેલ્લા 55 વરસથી કોંગ્રેસ-ભાજપ સામે સંઘર્ષ કરી રહ્યા છે અમારો ઉદ્દેશ સંવિધાન, તમામનો સર્વાંગી વિકાસ, મૂળભૂત અધિકારો, ST, SC, OBC, માઈનોરિટી તમામને સાથે લઈને ચાલવાનો અને તેમને તેમના બંધારણીય અધિકારો સાથે પ્રાથમિક સવલતો આપવાનો છે. જો ગઠબંધન માટે સહમતી થાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી BTP આપ લડશે. અને અમને આશા છે કે જો આ ગઠબંધન થાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર હશે એ નક્કી..!