પંજાબમાં પરિણામ આવી ગયું છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં બમ્પર જીત મેળવી છે અત્યાર સુધીના વલણમાં આમ આદમી પાર્ટી પંજાબમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. 117 સીટોમાંથી 89 સીટો પર વિજય મેળવી આમ આદમી પાર્ટી વિજેતા બની છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે દિલ્હીના મંત્રી અને AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે, અમે પંજાબમાં સકારાત્મક વલણો અમને આશા છે. પરિણામો પણ સકારાત્મક હશે. પરિવર્તન માટે મતદાન કરવા બદલ હું પંજાબના લોકોનો આભાર માનું છું. AAPએ પંજાબમાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રારંભિક લીડ સાથે બહુમતી આંકડો આપવા લોકોનો આમ આદમી પાર્ટી આભાર માને છે.

હાલ પંજાબના પરિણામોથી AAPમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગરુરમાં ભગવંત માનના ઘરે ઉજવણી શરૂ થઇ ચૂકી છે.