ન્યુઝ રીપોર્ટ: લીમડાના પાન હોય કે દાંડી, આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાઈ છે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પણ જો દરરોજ ખાલી પેટ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આયુર્વેદ સંજીવની હર્બલ ક્લિનિક, શકરપુર, લક્ષ્‍મી નગરના આયુર્વેદાચાર્ય ડૉ. એમ. મુફિક જણાવે છે કે લીમડાના પાન ખાલી પેટ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. જે લોકો લોહીની સમસ્યાથી પરેશાન છે, તેમણે પોતાના દિવસની શરૂઆત લીમડાથી કરવી જોઈએ. આમ કરવાથી એનિમિયાની સમસ્યાથી રાહત મળે છે. લોહીની ઉણપને પૂરી કરવામાં લીમડાના પાન તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે.આ ઉપરાંત લીમડાના પાન ત્વચામાં કુદરતી ચમક વધારવામાં તમને ઘણી મદદ કરી શકે છે.

આજના સમયમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં લીમડો એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-ફંગલ વગેરે ગુણો હોવાના કારણે શરીરને ઘણા ઈન્ફેક્શનથી દૂર રાખી શકાય છે.

નોંધ -Decision News આ બાબતે કોઈ જવાબદારી લેતું નથી તેથી લીમડાના પાન ખાતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી.