ગુજરાત: શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું છે કે અમે સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખાભાઇ સાથે બેઠક કરી હતી. આ બદલીના નિયમોથી 2 લાખ શિક્ષકોને સીધી અસર થશે. આવો જોઈએ શિક્ષકોની બદલીને લઇ નવા નિયમો.. 1. નવા નિયમ પ્રમાણે ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેર બદલી થઇ શકશે 2. વતન શબ્દ દૂર કરવામાં આવે છે 3. 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે નિમણૂંક અપાયેલ છે તેવા શિક્ષકોને 4. વર્ષ પછી બદલી માટે અરજી કરી શકશે 4 10 વર્ષના બોન્ડ કેસમાં સમય મર્યાદા 5 વર્ષ કરાઇ 5. વય બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો માગણી કરી શકશે 6. ગ્રાન્ટેડ શાળાઓમાં પણ પતિ-પત્નીનો લાભ અપાશે 7. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિ બનાવમાં આવશે

સર્વ સંમતિવિદ્યાર્થી અને શિક્ષકનું હિત અને એડમિસ્ટ્રેટનું પણ હિત જળવાઇ તે માટે નિર્ણય લીધો છે.અત્યાર સુધીમાં જે શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાના પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ છુટા થયા ન હતા, હવે છુટા થઇ જશે.

શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે