દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,447 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં 7,886 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને 24 કલાકમાં કોરોનાથી દેશમાં 391 દર્દીના મૃત્યુ થયા છે. દેશભરમાં કુલ 3,41,62,765 લોકો અત્યાર સુધી કોરોનાથી સ્વસ્થ થયા છે.

હાલમાં કોરોનાના દેશમાં કુલ 86,415 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 70,46,805 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,35,99,96,267 લોકોને કોરોનાની વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,59,932 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66,15,07,694 સેમ્પલ ટેસ્ટ દેશભરમાં કરવામાં આવ્યા છે.