ધરમપુર-વાંસદા: આજે ગુજરાતમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે પુષ્પ અને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે વાંસદા-ધરમપુરના લોક્નેતાઓ અને યુવા સામાજિક સંગઠનના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજી  ડૉ. ભીમરાવ આંબેડકર યાદ કરાયા હતા.

આજરોજ ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિસદ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીના 65 માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશભાઈ પટેલ અપક્ષના નેતા કલ્પેશભાઈ પટેલ અને અન્ય સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા-ચીખલીના લોકનેતા અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકર જી ના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે વિશ્વના અત્યાર સુધીના સૌથી વધુ બૌધિક મહામાનવમાં ગણના પામનારા ડૉ. ભીમરાવ આંબેડકરજી આજના દિવસે કોટી કોટી વંદન અને એમના અમર વિચારો અમારા દિશા સૂચક રહશે.