દિલ્લી: અમે ખૂબ મહેનત કરી કૃષિ કાયદા વિશે સમજાવવાની પરંતુ કેટલાક ખેડૂતો ન માન્યા અને આજે જાહેરાત કરું છું, કે અમારી સરકાર આ 3 કૃષિ કાયદા પરત ખેંચશે. સાથે જ આંદોલનકારી ખેડૂતોને પણ અપીલ કરું છું તેઓ પોતાના વતન તરફ પાછા ફરે !  શબ્દો હતા પ્રધાનમંત્રી મોદીના..

તેમણે વધુ જણાવ્યું કે  આજે હું તમને જણાવવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. હું આંદોલનકારી ખેડૂતોને ઘરે પાછા ફરવાની અપીલ કરું છું.આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્ર દરમિયાન તેને સંસદ દ્વારા પાછી ખેંચી લેવામાં આવશે.

આજે સરકારે કૃષિ ક્ષેત્રને લગતો વધુ એક મહત્વનો નિર્ણય લેતાં આ 3 કૃષિ કાયદા પરત ખેંચશે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક જયંતિની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ગુરૂનાનક દેવે કહેલ સેવા ભાવના અપનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.