ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં 26 હજાર 579 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 181 દર્દીઓના મૃત્યુ થયા છે.

હાલ દેશમાં 2 લાખ 14 હજાર 900 કોરોનાના એક્ટિવ કેસ છે. કોરોના રસીકરણની કામગીરી પર નજર કરીએ તો 24 કલાકમાં 65 લાખ 86 હજારથી વધુ લોકોએ વેક્સીનના ડોઝ લીધા છે. અત્યાર સુધી દેશમાં 95.89 કરોડ લોકોને વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે.