કપરાડા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં બહુચર્ચિત બનેલા વિષય એટલે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જાતિના દાખલા માટે સરકારે માગણી કરેલ ચાર પેઢીના પુરાવા બાબતે પડતી મુશીબતના સંદર્ભમાં આજરોજ વલસાડના જિલ્લાના કપરાડા તાલુકાના મામલતદારને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ બાબતે કપરાડાના કોંગ્રેસી નેતાઓએ શું કહ્યું જુઓ આ વિડીયોમાં..

Decision Newsને મળેલી માહિતી મુજબ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જાતિના દાખલા માટે સરકારે માગણી કરેલ ચાર પેઢીના પુરાવા બાબતે પડતી મુશીબતના સંદર્ભમાં આજરોજ વલસાડના જિલ્લાના કપરાડા તાલુકાના મામલતદારને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું આજ રોજ કપરાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રંસગે વલસાડ જિલ્લા મહામંત્રી વસનભાઈ પટેલ મહાદુભાઈ સરનાયક દસમાભાઈ દશરથ કડું જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ શિવાજીભાઈ પાડુંભાઈ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહયા હતા.